ગુજરાત: ગુજરાતમાં પેપર લીક કૌભાંડને લઈ આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી ઉપવાસ બેઠા છે ત્યાર વિપક્ષી એકતા જોવા મળી રહી છે ગઈકાલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ઉપવાસી છાવણીની મુલાકાત લીધી છે હવે ઉપવાસી આંદોલન નવી દિશામાં સુચારુ થઇ રહ્યાની વાતો વહેતી બની છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રેદેશ કાર્યાલય પર યુવા પરીક્ષાર્થીઓના સરકારી પેપરલીક પ્રશ્ને ઉપવાસ છાવણીની મુલાકાત લઇ આમરણાંત ઉપવાસ આંદોલનને ઠાકોર સમાજ દ્વારા સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ રાજય પ્રવક્તા મનહર પટેલ અને ગુજરાત રાજ્ય નેતા પંકજ પટેલ અને અન્ય નેતાઓ પાંચ દિવસથી આમરણંત ઉપવાસ પર રહેલા ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ અને નેતા મહેશભાઈ સવાણીની મુલાકાત લીધી અને સમર્થન આપ્યું છે.

ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ વિપક્ષનેતા પરેશ ધાનાણીએ આમરણાંત ઉપવાસ છાવણીની મુલાકાત લઇ ઉપવાસીઓનાં ખબર અંતર કાઢ્યા હતા. ભીમ આર્મી ગુજરાત પ્રદેશ પ્રમુખે આંદોલનને સમર્થન આપ્યું છે