ગુજરાત: ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ-નેતાઓ પર 18 જેટલી કલમ લગાવાઈ છે. ત્યારે 26 જેટલી મહિલા કાર્યકરો પણ છે. જેઓને સોમવારે મોડી રાત્રે જજ સમક્ષ રજૂ કરાઈ હતી. જયારે આપના અન્ય નેતાઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પેપરકાંડને લઇને ભાજપ કાર્યાલય પર AAP દ્વારા વિરોઘ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આપ અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ઈસુદાન ગઢવીએ નશાની હાલતમાં ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કરાયો છે. તેમણે આ મામલામાં ઈસુદાન ગઢવી સામે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અને સમગ્ર વિરોધ પ્રદર્શન મામલે અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી છે.

ગાંધીનગર પોલીસે AAP કાર્યકર ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને પ્રવીણ રામ સહિત ટોળા સામે IPC હેઠળ452, 353,353 A , 341, 323, 143,144,145, 147, 148,149, 151, 152, 269, 188, 429, 504, 120B, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિક એક્ટ 37, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135   સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી છે. આ ઘટના સંદર્ભમાં ગુજરાતના આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો હોવાનું મીડિયાને જણાવ્યું હોવાનું જણવા મળ્યું છે.