મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો નિર્ણય લીધો છે કે રાજ્યના નાગરિકો ગાંધીનગરના નવા સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓને પોતાના કામકાજ માટે સરળતાથી મળી શકે તે માટે નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ પાસ લઈને પ્રવેશ મેળવવાની પ્રથા મંગળવાર તારીખ ર૧ સપ્ટેમ્બરથી ફરી શરૂ કરાશે.

કોરોના વાયરસ સંક્રમણની સ્થિતીમાં સચિવાલયમાં મુલાકાતીઓ માટે બંધ કરાયેલી પ્રવેશ વ્યવસ્થા હળવી કરવાના અભિગમ સાથે મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.

જે અનુસાર, સચિવાલયના ગેટ નં-૧ અને ગેટ નં-૪ મારફતે નાગરિકોને પ્રવેશ પાસ થકી પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ મેળવનારા મુલાકાતીઓને માસ્ક/ફેઇસ કવર પહેરવા તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની માર્ગદર્શિકાનું પાલન જાહેર હિતમાં કરવાની અપીલ છે.