ચીખલી: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોમાં ખુશીઓનું વાતાવરણ રેલાવ્યું છે ત્યારે આજ વરસાદે ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના ફડવેલ ગામના ઘોલી ફળિયામાં રહેતા મનુભાઈની છત છીનવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision Newsને મળેલી વિગતો અનુસાર ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના ફડવેલ ગામમાં ઘોલી ફળિયામાં રહેતા મનુભાઈ નિશાભાઈ ધોડિયા પટેલ છેલ્લા બે-ત્રણ દિવસથી નવસારી જિલ્લામાં ભારે વરસેલા વરસાદી ઝાપટાંના કારણે તૂટીને જમીન ધ્વસ્ત થઈ ગયું હતું આ ગરીબ પરિવારે ઘરમાં રાખેલી ઘરવખરી ખરાબ થઇ ગઈ હોવાના કારણે આ આદિવાસી પરિવાર હાલમાં ખુબ જ કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે.
આ કુદરતી આફતની જાણ થતા જ સરકારી અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઇ યોગ્ય મદદ કરવાની ખાતરી આપી છે. આપણે પણ આપણા સમાજના ભાઈને આવી પડેલા મુશ્કેલી ભર્યા દિવસોમાં મદદરૂપ બની સમાજ ઉત્કર્ષ અને માનવતાની જીવંત રાખીએ.