ડાંગ: આજરોજ શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારાની આમ આદમી પાર્ટીના ડાંગમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી પાર્ટીને મજબુત કરવામાં સહયોગ પૂરો પડતા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી ડાંગમાં જીલ્લાના પ્રમુખ મનીષભાઈ મારકણાના નેતૃત્વમાં જોડાયા હતા

Decision Newsને મળેલી માહિતી મુજબ આજે દક્ષિણ ગુજરાત સહ સંગઠન મંત્રીશ્રી શનીભાઈ કીકાણી અને ડાંગ જીલ્લા પ્રમુખ મનીષભાઈ મારકણાની ઉપસ્થિતમાં આમ આદમી પાર્ટી ડાંગમાં મિશન 2022ના અંતર્ગત માનશ્રી અરવિંદ કેજરીવાલ સાહેબની વિચારધારાને માનીને 40થી વધુ ભાજપ અને કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓને આપમાં જોડાય ગયા હતા. આ યુવાઓ દેશને નવી દિશામાં લઇ જવા માટે રાજકારણ આવ્યા હતા પણ ભાજપ કોંગ્રેસની રાજનીતિ માફક આવી નહિ તેથી તેઓ આપમાં જોડાયા છે જેથી પોતાના સપનાનું ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપે.

આમ આદમી પાર્ટીના ડાંગમાં પ્રમુખ મનીષભાઈ મારકણા આ યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આપને પક્ષને મજબુત કરવામાં અને ભારતને સાચા વિકાસની દિશામાં આગળ લઇ જવા પોતાનું કર્તવ્ય સમજી શ્રેષ્ટ યોગદાન આપવાની કોશિશ કરે.