કપરાડા: વર્તમાન સમયમાં કપરાડા તાલુકાના ગામોમાં પાણીની સમસ્યા હાલ અજાણી નથી ત્યારે આજરોજ અસ્ટોલ ગામમાં પીવાના પાણીને લઈને કપરાડાના સામાજિક કાર્યકર જ્યેન્દ્ર ગાંવિતે મુલાકાત કરી હતી જેમાં ગ્રામ્યજનોની ફરિયાદો સાંભળી હતી.
Decision Newsને મળેલી માહિતી અનુસાર હાલમાં કપરાડા તાલુકામાં પીવાના પાણીને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારાએ ગામોમાં પાણીના ટેન્કરો ફળીયા પ્રમાણે આપવામાં આવે છે પણ લોકોનું કહેવું છે કે સરકારના તંત્ર દ્વારા અમારા સાથે છેતરપીંડી કરવામાં આવી રહી છે અમને હાલમાં પીવાનું પાણી એક દિવસ આપ્યા બાદ બે દિવસની ગેપ રાખી ત્રીજા દિવસે આપવામાં આવે છે અને એ પણ પુરતા પ્રમાણમાં મળતી નથી.
સામાજિક કાર્યકર્તા જ્યેન્દ્ર ગાંવિત Decision News સાથે વાત કરતા જણાવે છે કે આ અસ્ટોલમાં દરરોજનું પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે એના માટે વલસાડ પાણી પુરવઠા તેમજ પાણી સમિતિને રજુઆત કરવામાં આવશે. આવા તો કપરાડા તાલુકામાં અનેક ગામો છે જ્યાં આ પ્રકારનો પીવાના પાણીને લઈને આ ટેન્કરો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેમનું કહેવું છે કે તાલુકાના મામલતદાર, પાણી પુરવઠા સાથે જોડાયેલા અધિકારીઓ અને સમાજના જવાબદાર વ્યક્તિઓને કહેવું છે કે પીવાના પાણીને લઈને લોકો સાથે થઇ રહેલા આ અન્યાય સામે પગલાં લેવામાં આવે જરૂર પડયે આ અમાનવીય તત્વો ખુલ્લા પાડી એમની સામે કાનૂની કાર્યવાહી કરી કરવામાં આવે.

