ધરમપુર: કોરોનાના કપરા કાળમાં વલસાડના ધરમપુર તાલુકાના યુવાનો રક્તદાન શિબિરનું આયોજન કરી જરુરીયાદમંદ લોકોને લોહીની પુરતી સુવિધા મળી રહે અને લોહીના કારણે કોઈ જાનહાની ન થાય એ સેવાભાવ અર્થે આ કામગીરી કરી રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આજના રક્તદાન શિબિરમાં ૧૦૦ થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને ૫૦ જેટલી બોટલોમાં રક્તદાન થયું છે જિલ્લા ભાજપ મહામંત્રી પ્રભાકર યાદવ Decision News સાથે વાત કરતા જણાવે છે કે જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાના માર્ગદર્શન હેઠળ સેવા હી સંગઠનના કાર્યક્રમ અંતર્ગત ધરમપુર શહેરના વેપારી મંડળ અને પાર્ટીના કાર્યકર્તાઓ મળીને આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે  અમે આ કોરોના મહામારી દરમિયાન રક્તની અછત ન સર્જાય એ માટે અવારનવાર આ પ્રકારની રકતદાન શિબિરનું આયોજન કરતાં હોઈએ છીએ. તેમનું કહેવું હતું કે હાલમાં ધરમપુરના રહેવાસીઓને અપીલ કરું છુ કે આપણા શહેરમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ છે તો દરેક લોકો વેક્સીન લઇ લેવી જેથી કોરોનાના કહેરને અટકાવી શકાય.

આ પ્રસંગે વલસાડ જિલ્લાના જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી ધારાસભ્ય અરવિંદ પટેલ જિલ્લા યુવા મોરચા મોરચા મયંક પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી પ્રભાકર યાદવ ધરમપુર ભાજપ પ્રમુખ જીવાભાઈ આહીર તેમજ સમસ્ત BJP કાર્યકર્તાઓએ પોતાનું હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.