ચીખલી: ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં તોકતે વાવાઝોડા દરમિયાન થયેલા નુકશાનનો સર્વે કરવામાં આવેલી ટીમનો સર્વે સત્ય વિહોણો હોવાનો આરોપ લગાવી ફરીથી ખેડૂતોના નુકશાનીનો સર્વે કરવા આજ રોજ BTP દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

સાદડવેલના ગ્રામજનોએ Decision Newsને જણાવ્યા પ્રમાણે ગામમાં સર્વેની જાણકારી સરપંચ કે તલાટીને કરવામાં આવી ન હતી અને સર્વે દરમિયાન આંબાવાડી કે ચીકુવાડી કે અન્ય બાગાયતી પાકોના નુકશાનનું કોઈપણ પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું નથી. ગામમાં માનીતા અને વહાલ સોયા અમુક ગણ્યા ગાંઠયા ખેડૂતોના નુકશાનનું સર્વે કરી નામો નોંધવામાં આવ્યા છે.નવાઈની વાત તો એ છે કે ગામમાં જે ખેડૂતોની આંબાવાડી કે ચીકુવાડી નથી એ ખેડૂતોના જ નામો સર્વેમાં નોધવામાં આવ્યા છે. અમે રી-સર્વેની માંગ કરીએ છીએ.

BTSના નવસારીના પ્રમુખ પંકજ પટેલ Decision Newsને જણાવે છે કે પહેલી વાત તો એ કે સર્વે ટીમ કોઈ પણ ઘટના સ્થળે મુલાકાત લીધી નથી અને આ સર્વેમાં મોટાભાગના નુકશાની વગરના ખેડૂતોનો સમાવેશ થયો છે આ સર્વેમાં ભ્રષ્ટાચાર થયાની આખા ગામમાં બુમો પડી રહી છે એના કારણે અમે નુકશાનીનું રી-સર્વે થાય એના માટે આવેદનપત્ર આપી રહ્યા છે જેથી નુકશાની ભોગવી રહેલા ખેડૂતોને એમનું યોગ્ય વળતર મળે ભ્રષ્ટાચારી સજા મળે.