સાયલા: ગુજરાતના સુરેન્દ્રનગરમાં સાયલાના ઢાંકણીયા સીમ આવેલી વાડીમાં સુતેલા પતિને પત્નીએ પોતાના પ્રેમીની મદદથી ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે પત્નીએ તેના પ્રેમી સાથે મળીને જ પતિની હત્યા કરી છે. બનાવનું વર્ણન કરતા તેઓ જણાવે છે કે વાડીએ જેમાભાઇ વાઘેલા અને તેમની પત્ની રેખા રાત્રે સૂતા હતા જો કે પત્નીએ રાત્રે અચાનક પરિવારજનો ને ફોન કરીને કહ્યું કે પતી જેમાભાઇ ઢોર ચરાવવા જતા ત્યાં ગળામાં તાર ફસાઈ જતા તેમનું મોત થઇ ગયું છે. મૃતકની લાશના પીએમ માટે ના કહેતા પરિવારજનોએ અંતિમ સંસ્કાર તો કરી દીધા હતા પણ પત્ની પર શંકા જતા તેમણે વાડીમાં તપાસ કરી તો વાડીમાં એક રૂમાલ પણ મળ્યો હતો જેમાં લોહીના ડાઘ હતા. પરિવારજનોએ રેખાને આ અંગે રેખાએ પૂછતા તેણીએ કઈ સરખા જવાબ ન આપતા આખરે કેસ પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.

આ બનાવ સંદર્ભે પોલીસ અધિકારીએ રેખા પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને આખરે ગુનો કબુલી લીધો હતો. રેખાએ કહ્યું કે બે વર્ષથી સોનગઢના ભરત સાથે પ્રેમસબંધ હતો જેથી પતિની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.