zee24કલાક ફોટોગ્રાફ્સ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં કોરોનાની ચેઈનને તોડવા છેલ્લા દિવસોમાં લગાવાયેલા નિયંત્રણો પર આજે આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે કે રાત્રિ કરફ્યૂની મુદત વધારાશે કે નહિ. અને રાત્રિ કરફ્યૂ કે લોકડાઉન બંનેની ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગશે તેની આજે સાંજે ગુજરાત સરકાર જાહેરાત કરશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા 29 શહેરોમાં કફર્યૂની મર્યાદા પુર્ણ થવાના આરે છે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાની આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે કે રાત્રિ કરફ્યૂની મુદત વધારાશે કે લોકડાઉન બંનેની મુદ્દા પર ચર્ચાઓ કરી આજે સાંજે ગુજરાત સરકાર પોતાનો નિર્ણય જાહેરાત કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જુનાગઢમાં સ્થિતિનું નિરીક્ષણ કરી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાર પછી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી મેયર, જિલ્લા કલેક્ટર, કમિશનર, આરોગ્ય અધિકારી સહિત સાથે કોવિડ 19ની પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. ત્યારે તેમણે મીડિયા સંબોધનમાં કહ્યું હતું કે, છેલ્લાં પાંચ સાત દિવસથી કેસ ઓછા આવી રહ્યાં છે. હવે કેસ ઘટી રહ્યાં છે. તેથી તંત્રને રાહત મળી છે સાથે જ લોકોને પણ રાહત થઈ રહી છે. છતા અતિવિશ્વાસમાં રહેવું ન જોઈએ. 15 મી મેએ કોરોનાનો મોટો પિક આવશે તેની વ્યવસ્થા અમે કરી રહ્યાં છીએ. આ અંગે આજે સાંજે કોર ગ્રૂપની મીટિંગમાં પરિસ્થિતિ વિશે માહિતી મેળવીને રાત્રિ કરફ્યૂની મુદત વધારાશે કે લોકડાઉન નિર્ણય કરીશું.