હાલના સમયમાં રાજકીય નેતાઓનું ધ્યાન રાજ્યની રાજ્યસભાની ચૂંટણી બાદ સૌ કોઈની નજર ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર યોજાનાર પેટાચૂંટણી પર છે. ત્યારે અનલોકની ગાઈડલાઈનને કારણે હજુ સુધી પેટાચૂંટણીની તારીખો નક્કી થઇ નથી. પરંતુ હવે જાણકારી મળી રહી છે કે, કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તારીખો નક્કી થઇ ગઈ છે. અને એક કે બે દિવસમાં ચૂંટણીપંચ દ્વારા પેટાચૂંટણીનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવી શકે.

પહેલા 14મી ઓગસ્ટ સુધી પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવાનું નક્કી હતું. પરંતુ 14 ઓગસ્ટના દિવસે કાર્યક્રમ જાહેર ન થતાં 8 બેઠકની પેટાચૂંટણી પાછી ઠેલાશે તેવી શક્યતા સેવાઈ રહી છે કે ચૂંટણીપંચ દ્વારા ઓક્ટોબરના કે નવેમ્બરમાં પેટાચૂંટણી યોજાઈ શકે છે. અગાઉ 13મી સપ્ટેમ્બર પહેલાં પેટાચૂંટણી યોજવાનું આયોજન હતું. પણ કોરોના મહામારીને કારણે ચૂંટણી પાછી ઠેલવાનો નિર્ણય પણ ચૂંટણીપંચ કરી શકે છે. જો કે, હાલની પરિસ્થિતિને જોતાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ચૂંટણી પ્રચારનો પ્રવાહ ધીમો કરી દેવામાં આવ્યો છે.