જોબુથોડા: જોબુથોડા તાલુકાનો જોરીથો પરમેશ્વર તેજસ્વી આદિવાસી નેતા હતો. 1868માં જાં પંચમહાલ જિલ્લામાં અંગ્રેજોએ ફોરેસ્ટ એક્ટ લગાવી આદિવાસી લોકોના હકો છીનવી લીધા હતા ત્યારે જોરિયો પરમેશ્વર, રૂપસિંહ નાથક અને ગલાલ નાયક નામના ત્રણ લીડરોએ અંગ્રેજો સામે ચળવળ શરૂ કરી હતી. ઈ.સ. 1838થી ગુજરાતમાં આદિવાસી આંદોલનોની પહેલ નાયકા આદિવાસીઓએ કરી હતી.

ફેબ્રુઆરી 1868માં અંગ્રેજોએ કોઈપણ ભોગે જોરિયાને પકડી લેવાનું નક્કી કર્યું. કેમ ! કે મોટી સંખ્યામાં આદિવાસીઓ તેનાથી પ્રભાવિત હતા અંગેજો ઉપરાંત સ્થાનિક દેશી – રજવાડાંઓને પણ જોરિયો પસંદ ન હતો. બીજી તરફ જોરિયો કે તેના સાથીદારો આસાનીથી પકડાય એમ ન હતા. આદિવાસીઓને શોધવા માટે અંગ્રેજ સરકારે પુના, ગ્વાલિયર અને અમદાવાદ જેવાં શહેરોમાંથી 1,100 સૈનિકોની સેના બોલાવી અને 15 દિવસ સુધી ફાઈટ ટુ ફિનિશ જેવી સ્થિતિ સર્જાઈ હતી. 15 દિવસ સુધી સંતાકૂકડીની લડત ચાલી અને આદિવાસીઓનો લીડર જોરિયો પરમેશ્વર ઘણો ચાલાક હતો. તે પોતાનો હમશકલ લડવા માટે મોકલતો.

આખરે અંગ્રેજોની 15 દિવસની શોધખોળ ભાદ જોરિયો પરમેશ્વર પકડાયો અને તેને અંગ્રેજોની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને જોરિયા તેમજ તેના બીજા ચાર સાથીઓને ફાંસીની સજા કરવામાં આવી. તેમની યાદમાં 16 એપ્રિલે દર વર્ષે શહીદ દિવસ જાહેર કરીને તેમને યાદ કરવામાં આવે છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે જોરિયા પરમેશ્વરે સામાજિક ચેતનાની એ બધી કામગીરી ગાંધીજીના જન્મનીય પહેલાં કરી હતી. ગાંધીજી, સરદાર નેહરુ કે ભગતસિંહ કરતાં પણ પહેલા અંગ્રેજોના દાંત ખાટા કરનાર આદિવાસી જનનાયક વિષે ઈતિહાસકારના પ્રાધ્યાપક અરુણ વાઘેલાએ તેમના વિશે સંશોધન કરીને પુસ્તક તૈયાર કર્યું છે. બાકી ઈતિહાસમાં સોધશો તો કોઈ ખાસ ઉલ્લેખ જોવા મળતો નથી.

BY અરુણ વાઘેલા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here