ડાંગ: લોકસભાની ચુંટણીને લઈને સમગ્ર ગુજરાતમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઈ છે પણ આજે ડાંગ કોંગ્રેસ દ્વારા ભાજપ પક્ષ તરફથી આચારસંહિતા ભંગ થયાની ફરિયાદ જીલ્લા સેવા સદન ડાંગના નોડલ અધિકારીશ્રીને કરવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યું છે તે મુજબ કે વિનય જય ભારત સહ જણાવવાનું કે આજ રોજ તારીખ 19/03/2024 ના રોજ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તેમના પક્ષના ઉમેદવારનો જનસંપર્ક કાર્યક્રમ સમગ્ર ડાંગમાં રાખેલ હતો જે બાબતના ફોટા, વિડિઓ અનેભાજપના સોશિયલ મીડિયા પેજ પર વાઇરલ પણ કરવામાં આવેલ એ બાબતે અમો તપાસ કરેલ તો આ બાબતે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધેલ ના હતી
હવે ગત તારીખ 16/3/2024 થી સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોઈ ભાજપના 26- લોકસભાના ઉમેદવાર તથા તેમની સાથે ફોટા, વિડિઓમાં દેખાય તમામ લોકો પર આદર્શ આચારસંહિતા ભંગની કાયદેસરની કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.

