આહવા: છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અધધધ્ વરસાદ પુર, રસ્તાબંધ, ઘર પાણી ભરાય જવા કે ખેતી પાકોનુ નુકશાન અનેકો સમસ્યા આવી જેનો સમાનો કર્યો ખરો પણ બચ્યા તો ક્યાં ક્યાંક કસુક ગુમાવ્યાની સ્થિતિ જોઈ આ નદી ડાંગની ખુબ જ ભયાનક નદી ગણાય છે કારણ કે ખુલ્લુ વાતાવરણ હોય ગામમાં પણ સાપુતારા વિસ્તાર આવતી નદી ગમે જ્યારે વરસાદી વિસ્તારથી આવે છે.

આ દ્રશ્યમાન છબી ડાંગ જિલ્લા આહવા તાલુકાના વાંગણ અને કુત્તરનાચ્યા ગામની સ્થિતિને દર્શાવતી છે. જે દ્ર્શ્ય જોઈએ છે “વરસાદ ખુબ જ ઓછો થયા બાદની સ્થિતિ દરશાવતી છબી છે…તો ધોધમાર વરસાદી સ્થિતિ કેવી હશે જે રૂબરુ અનૂભવ પછી જ કહી શકાય ?….આવી સ્થિતિ જ્યારથી આ ગામ વસ્યુ હશે. તે પછી પણ આ કોજવે નિર્માણ પામ્યા પછી દર ચોમાસે આજ સ્થિતિ જોવા મળે છે અને આપણે બધા અનુભવ્યુ કે બે-ચાર દિવસ આવન જાવન બંધ થઈ જાય તો કેવી મુશ્કેલી અનુભવાય તે જોયુ.

અમિત બિરારી જણાવે છે કે આ બે ગામના લોકો ચોમાસાની ઋતુ આવતા સાથે કેટલીક ચિંતા કરે છે. જે લોકો પાસેથી વાતોમાં જાણવા મળી તે હચમચાવી નાખે એવી છે.

1) ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ક્યારેય ચોમાસામાં બિમાર ન થઈએ.
2) ગર્ભવતી સ્ત્રી અને પરિવાર એવુ વિચારે છે કે પ્રસુતી તો વરસાદી ખુલ્લા સમયમાં જ થાય તો કુદરતની કૃપા…
3) ગામથી બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થી કોઈક કારણ ઘર આવવાની ઈચ્છા રાખે પણ ચોમાસા ખુબજ વિચાર મંથન પછી જ ઘરે આવવાનો વિચાર કરે છે.
4) સર્પદંશ હોય કે આક્સ્મિક અકસ્માત હોય તો ચિંતા..જ ચિંતા..
5) વિજળીની અનિયમિત્તા અને યોગ્ય નેટવર્કના કારણે બેવડી સમસ્યા અનુભવે છે..
6) જીવન જરીરીયાત વસ્તુ આવક હોય તો પહેલા પૂર્વ તૈયારી ભરી દે છે.. પરંતુ શ્રમ આધારીત જીવન ગુજારતા લોકો જંગલની ભાજી કે કંદમુલ પર આધાર રાખવો જ પડે બહાર જવુ નદી ઓલંગવી જોખમ હોય છે.
7) ગામમાં બહાર ગામથી મુલાકાત કે ખબર અંતર પુછવાવાલા ચિંતા હોય છે જવુ તો ખરુ પણ આવવા માટે નદીમાં પુર ન આવી જાય એવી ચિંતા હોય જ છે..

આવી સ્થિતિ જોતા.. પ્રકૃતિ વ્યવસ્થા ગોઠવવા વાળાને કઈંક સત્વરે આયોજન અને વ્યવસ્થા કરે તે માટે વિચાર અને શક્તિ અર્પે તેવી આશા.