ગુજરાત: વિદ્યા સહાયક ભરતી મુદ્દે HCમાં થયેલી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે સરકારના પરિપત્ર પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. જેને લઈને હજારો વિદ્યા સહાયક યુવાનોમાં નિરાશાનું મોજું ફરી વળ્યાનું લોકચર્ચામાં કહેવાય રહ્યું છે.

VTVના અહેવાલ અનુસાર હાઇકોર્ટે અગાઉ વિદ્યાસહાયકોની બદલી મુદ્દે રાજ્ય સરકારે બહાર પાડેલા પરિપત્ર પર રોક લગાવી હતી. મહત્વનું છે કે, વિદ્યાસહાયકોની બદલી સમયે નોકરીના વર્ષોની સિનિયોરીટી ગણાશે નહીં તેવો સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો. જેને લઇને વિદ્યાસહાયકોએ નોકરીના વર્ષોની સિનિયોરીટી મળે તે માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને સરકારના પરિપત્રને રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી. પરંતુ અંતે ગુજરાત હાઈકોર્ટે સરકારના પરિપત્ર પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. આથી, CRC ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે એની જગ્યાએ રખાયેલ વિદ્યા સહાયકોને ફાજલ જાહેર કરી શકાશે.

હવે CRC ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે એની જગ્યાએ રખાયેલ વિદ્યા સહાયકોને ફાજલ જાહેર કરી શકાશે. આ પહેલા CRC પોતાની પોસ્ટ પર પરત ફરે ત્યારે જો એ જગ્યાએ નિમણૂંક થયેલી હોય તો CRC ને નજીકના તાલુકા કે જિલ્લામાં બદલી અપાતી હતી. જો કે સરકારે કરેલા પરિપત્ર બાદ હવે CRC ડેપ્યુટેશન પરથી પરત ફરે ત્યારે એ પોતાની પોસ્ટ પર રહેશે અને એના બદલે નિયુક્ત કરાયેલા વિદ્યા સહાયક ફાજલ જાહેર થશે. આ કારણે હજારો વિદ્યા સહાયકો દુઃખી થયા છે.