ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષક ભરતી માટે ગયા મહિને જાહેરાત કરેલી છે. જેમાં, અરજદારે અરજી કરી ત્યારે સંબંધિત જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીએ તેને નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ આપવામાં આવ્યુ ન હતુ. જેની સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. આ કેસની વધુ સુનાવણી 21 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
સંદેશમાં પ્રકાશિત અહેવાલ મુજબ જોકે હાઈકોર્ટના આખરી હુકમને અધિન હાલના તબક્કે આ ઉમેદવારોને NOC વગર ભર્તીની અરજી સ્વીકારી લેવાનો સરકારને આદેશ કર્યો છે. જોકે હુકમ એમની વિરૂદ્ધમાં આવે તો ઉમેદવારો પેરીટીના ગ્રાઉન્ડ પર દાવો કરી શકશે નહીં. અરજદારના વકીલની રજૂઆત હતી કે, વર્ષ 2018માં પ્રાથમિક શિક્ષક અન્ય ભરતી માટે અરજી કરે તો તેમને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ એનઓસી આપતા હતા. જો કે, હવે આ એનઓસી આપવામાં આવતુ નથી.
સરકારનો વર્ષ 2017નો ઠરાવ એ માત્ર ટ્રાંસફર સંદર્ભનો છે. રાજ્ય સરકારે 30 ઓગષ્ટ-2017ના રોજ નોટિફિકેશન બહાર પાડેલુ કે, કોઈપણ ઉમેદવારને જે પણ તાલુકામાં શિક્ષક તરીકે નિમણૂંક મળે તો તેને દસ વર્ષ સુધી આ તાલુકામાં નોકરી કરવાની રહેશે અને તેણે આ સમયગાળામાં બદલી માટે અરજી પણ કરવી નહીં. જો કોઈ પ્રાથમિક શિક્ષકો અન્ય ભરતી માટે અરજી કરે તો તેમણે તેમના સંબંધિત વિભાગનુ નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ ( એનઓસી) રજૂ કરવાનુ રહેશે. બીજી તરફ, સરકારની રજૂઆત હતી કે, જે તે સમયે નિમણૂંક પામનાર ઉમેદવારને ખબર જ હતી કે નિમણૂંક માટેની શરતો શું છે.

