કપરાડા: ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લાના કપરાડા તાલુકા કિસાન મોરચા દ્વારા “સંકલ્પ થી સિદ્ધિ સુધી – મોદી સરકાર ના 11 વર્ષ” પૂર્ણ થવાના અવસર નિમિત્તે કપરાડા તાલુકાના દીનબારી ફળિયા ખાતે આવેલા સામુદાયિક કેન્દ્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા મંડળ બેઠકનું આયોજન યોજાયું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના, જળસંચય અભિયાન, મૃદા આરોગ્ય કાર્ડ જેવા ખેડૂતોના હિત માટેની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મંડળ બેઠકમાં સ્થાનિક ખેડૂતમિત્રો દ્વારા તેમના પ્રશ્નો તથા સમસ્યાઓ રજૂ કરવામાં આવી અને નેતાઓ દ્વારા તત્કાળ અને નિકાલકારી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જાહેર જનસમુદાય સાથે સીધી સંવાદ સાધીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ભાજપ સતત ગામડાઓમાં આવી રહી છે તેમ નેતાઓએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં ખેડૂતમિત્રોને કેન્દ્ર સરકારની ખેડૂતોની આવક વધારવા માટેની યોજનાઓ તથા કૃષિ ક્ષેત્રે થયેલા સુધારા અંગે માહિતી આપી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના કૃષિ ક્ષેત્રે થયેલા વિવિધ સકારાત્મક પરિવર્તનોને લોકો સુધી પહોંચાડવા માટે સૌ કાર્યકર્તાઓને ગામ ગામ સુધી જઈ માહિતી પહોંચાડવા પણ આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, મહામંત્રી શ્રી હિરેનભાઈ હિરપરા, કિસાન મોરચાના પ્રદેશ મંત્રી તથા વલસાડ જિલ્લાના પ્રભારી શ્રી આશિષભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ શ્રી દેવજીભાઈ સી ગાંવઠા, જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી કનકભાઈ ગાવીત, કપરાડા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી વિપુલભાઈ ભોયા, ઉપપ્રમુખ શ્રી ચેદરભાઈ પી. ગાયકવાડ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હીરાબેન પી. માહાલા, જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન ચેદરભાઈ ગાયકવાડ, એપીએમસી ચેરમેન મુકેશભાઈ બી. પટેલ (નાનાપોંઢા), સરપંચ શ્રી શાંતીબેન બી. મુહુડકર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

