વાંસદા: વાટી ગામ ખાતે નવા બ્રિજ પ્રોજેક્ટની આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મંજૂરી આપતા વાટી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Decision news ને મળેલી જાણકારી મુજબ ગ્રામજનોએ જે રીતે કોઈ શુભકાર્યની શરૂઆત શ્રીફળથી કરવામાં આવે છે તેમ આજે શ્રીફળ વિધિ કરીને લાખો લોકોને રાહત આપતો આ પ્રોજેક્ટ ઝડપથી શરૂ થાય એ માટેની વલસાડ- ડાંગના સાંસદ ધવલ પટેલે આશા વ્યક્ત કરી.

જે જગ્યા એથી બ્રિજની શરૂઆત થઈ રહી છે ત્યાં શ્રીફળવિધિ કરીને વિધિવત રીતે લોકકલ્યાણના કાર્યનો પ્રારંભ કરાવ્યો. બ્રિજની કામગીરી ટૂંકજ સમયમાં શરૂ થતા ગ્રામજનો માટે આ એક મોટી રાહત સમાન કડી બની રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here