ભરૂચ: પોલીસ મહાનિર્દેશકશ્રી, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદનાઓના માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લા જેલના અધિક્ષકશ્રીના નેતૃત્વ હેઠળ પ્રયાસ સંસ્થા ભરૂચના સહયોગથી જેલના બંદિવાનભાઇઓ હકારાત્મક અભિગમ અપનાવી સર્જનાત્મક પ્રવૃતિ સાથે જોડાય રહે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું.
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (આરસેટી)ભરૂચ દ્વારા ભવિષ્યમાં બંદીવાનનોના લાભાર્થે કૌશલ્ય વિકાસ માટે હાઉસ વાયરીંગની તાલીમનું તા.24/05/2025 થી તા.22/06/2025 દરમિયાન ભરૂચ જિલ્લા જેલ ખાતે આયોજન કરવામાં આવેલ આ તાલીમની પૂર્ણાહુતિ સમયે તા.23/06/2025 ના રોજ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (આરસેટી)ભરૂચના ડીરેકટરશ્રી હર્ષિલ જી. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
Decision news ને મળતી માહિતી મુજબ ભરૂચના ડીરેકટરશ્રી હર્ષિલ જી. પાટીલ, નાઓ તેમજ પ્રયાસ સંસ્થા, ભરૂચના સામાજીક કાર્યકર શ્રી આશિષભાઇ બારોટની ઉપસ્થિતિમાં અને તેઓના હસ્તે તાલીમ પામેલ બંદીવાન ભાઈઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. આ હાઉસ વાયરીંગ તાલીમ વર્ગમાં બંદિવાનોએ ઉત્સાહ પુર્વક જોડાયા હતા અને સફળતાપુર્વક તાલીમ પુર્ણ કરી હતી.

