નવસારી: નવસારી જિલ્લાના ખેરગામમાં વલસાડ રોડ પર એક મૃત ભ્રુણ મળી આવવાની ઘટના સામે આવી છે. રોડના રાહદારીઓએ મૃત ભ્રુણ જોયું અને તરત જ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે ભ્રૂણની ઉંમર આશરે ચાર થી પાંચ મહિનાની હોવાનું અનુમાન છે. પોલીસે 108 એમ્બ્યુલન્સને બોલાવી અને મૃત ભ્રુણને રેફરલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે.

ખેરગામ પોલીસ સ્ટેશને આ મામલે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે મૃત ભ્રુણને રોડ કિનારે મૂકનારા અજાણ્યા વ્યક્તિની શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ આ વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here