વલસાડ: વલસાડ જિલ્લામાં ગુરૂવારથી અતિભારે વરસાદના વર્તાવાના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો થઇ ગયો હતો.Decision news  ને મળતી માહિતી અનુસાર નિયમિત મુજબ ગતરોજ પણ નાસિર શેખ પોતાની વાન લઇને જેસિયા ફળિયાના બાળકોને લઇ ચીખલીના મજીગામની ફેલોશિપ શાળામાં મૂકવા માટે ગયા હતા.ભારે વરસાદના કારણે આ પંથકની નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો.

દરમિયાન સવારે 11 વાગ્યે શાળાએથી બાળકોને બેસાડી વાનચાલક નાસિર શેખ મજીગામથી નિકળી ગામમાં આવી બાળકોને તેમના ઘરે ઉતારી દીધાં હતા.બાદમાં સ્કુલવાન લઇને જમવા માટે જઇ રહ્યા હતા ત્યારે તેઓ વાઘલધરાના અંદરના અંતરેથી વહેતી ખરેરા નદીના ડુબાઉ પુલ પર વચ્ચેથી પસાર થઇ વચ્ચે પહોંચતા જ ધસમસતા પ્રવાહમાં સ્કૂલવાન સાથે ચાલક નાસિર શેખ પણ તણાઇ ગયા હતા.આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.નદી પર પુલ વચ્ચે પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ ઘટના સામે આવી હતી.સદનસીબે સ્કૂલવેનમાં બાળકો નહીં હોવાને લઈને મોટી હોનારત થતા અટકી હતી.

જોકે વેન ચાલક કાર સાથે પાણીમાં તણાઈ જતા તેની શોધખોળ માટે તરવૈયાઓ, NDRFની ટીમ સ્થળ પર દોડી આવી હતી. મોડી સાંજ સુધી ચાલકનો કોઇ પત્તો લાગ્યો ન હતો. નાસિર શેખ ગતરોજ બપોરે ખરેરા નદીમાં વહેણ મોટું હોવાના કારણે પુલ પર પણ પાણીનો જોશીલો પ્રવાહ હતા.અનેક લોકો પણ ઉભા હતા.દરમિયાન સ્કૂલ વાન લઇને પસાર થવા જઇ રહેલા નાસિર શેખ પુલના મધ્યે ધસમસતા પાણીમાં વાન સાથે તણાઈ ગયા હતા. આ ઘટના બની તે સમયે સ્થળ પરથી નાસિર શેખ ને બચાવવા માટે મદદ માટે લોકોને બૂમો પાડી હતી. પરંતુ પાણીનો ભારે વહેણ હોવાથી નાસિર શેખ પોતાની વાન સાથે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here