અંકલેશ્વર: અંકલેશ્વર ગોલ્ડનબ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે પણ નીચે નદીનો પટ નવા પીકનીક પોઇન્ટ તરીકે વિકસી રહયો છે. વાહનચાલકો વાહનો લઇ નદી કિનારે પહોંચી જતા ભરતીના પાણીમાં વાહનો ફસાઇ જવાની ઘટનાઓ બની રહી છે.

આ સ્થળે નદીમાં ન્હાવાનું જોખમી હોવા છતાં લોકો સ્નાન પણ કરી રહયાં છે. Decision news ને મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલાં ભાઇની નજર સામે બહેનનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું. નર્મદા કિનારે ગોલ્ડનબ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ નીચે લોકોની અવરજવરમાં વધારો થયો છે.

ખાસ કરીને વરસાદી માહોલમાં લોકો અહીં ઉમટી રહયાં છે. રોજબરોજ અહીં લોકો પોતાના વાહન લઇ કીનારે સુરક્ષિત મૂકી નદી નજીક જવાના બદલે સીધા નદીના પટમાં પહોંચી જાય છે. નદીમાં સાંજના સમયે આવતી ભરતીમાં વાહનો ફસાઇ જાય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here