ભરૂચ: વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે સિકલસેલ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રોગમાં વ્યક્તિના લોહીનો આકાર ગોળાકારમાંથી દાતરડા જેવો થઈ જાય છે. ગુજરાતના પૂર્વીય વિસ્તારમાં, ખાસ કરીને આદિવાસી સમાજમાં આ રોગ વધુ જોવા મળે છે.
Decision news ને મળતી માહિતી અનુસાર ભરૂચના ડૉ. ડેક્ષ્ટર ડી. પટેલે આ રોગ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે પોતાની ડૉક્ટર બહેનને સિકલસેલ રોગના કારણે ગુમાવી હતી. આ ઘટના બાદ તેમણે સિકલસેલ અવેરનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરી. છેલ્લા 15 વર્ષથી તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લામાં લોક જાગૃતિના કાર્યક્રમો યોજે છે.
ડૉ. પટેલ નિઃશુલ્ક સેવાઓ આપે છે. આમાં દવાઓ, લોહી પરીક્ષણ અને મેડિકલ કેમ્પનો સમાવેશ થાય છે. તેમના મતે, લગ્ન પહેલા કુંડળી મેળવવાની જેમ, યુવક-યુવતીનો સિકલસેલ ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ રીતે આવનારી પેઢીને આ રોગથી બચાવી શકાય છે.

