ઝઘડિયા: ગત 15 મી જુનના રોજ વલ્ડૅ સિકલ સેલ ડે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકા મથકે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝધડિયા દ્વારા ઝઘડિયા નગરના સુલતાનપૂરા ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા ની વિધાર્થીઓ દ્રારા વિશ્વ સિકલસેલ દિવસ અંતર્ગત સિકલસેલ રેલી કાઢવામાં આવી હતી.
આ યોજાયેલી વર્લ્ડ સિકલસેલ ડે કાર્યક્રમનો હેતુ સિકલસેલ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેમજ લોકો સિકલસેલ પ્રત્યે જાગૃત બની સિકલસેલનું યોગ્ય નિદાન કરાવે તેમજ હાજર તબીબીઓએ સિકલસેલના ચિન્હો અને સિકલસેલથી થતી પીડાઓ બાબતે વિસ્તારથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આની સાથે સાથે હાજર આરોગ્ય સ્ટાફ દ્વારા વિધાર્થીઓને સિકલસેલ વિશે તબક્કાવાર માહિતગાર કરાવ્યા આવ્યાં હતાં.
આ પ્રસંગે આયુષ મેડિકલ ઓફિસર (MO) તહેસીન મેડમ, મલ્ટી પર્પજ હેલ્થ સુપરવાઈઝર (MPHS) જીતેન્દ્રસિંહ બોડાણા, સિકલસેલ કાઉન્સિલર છાયાબેન તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) પીનલબેન વસાવા, મલ્ટી પર્પજ હેલ્થ વર્કર (MPHW) રાજદીપસિંહ પરમાર, આશાવર્કર શર્મિષ્ઠાબેન રજવાડી તથા આદર્શ નિવાસી શાળાના આચાર્ય શ્રી રાઠોડ સાહેબ તેમજ આદર્શ નિવાસી શાળા નો શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.

