ઝઘડીયા:ઝઘડીયા નગર ખાતે આવેલ મહાલક્ષ્મી ટેકરા સાંઈ મંદિર ના રહિશો એ પાછલા બે મહિના ઉપરાંતના લાંબા સમયથી રાત્રી દરમિયાન વિજ પુરવઠો બંધ થઈ જતો હોવાથી પડતી મુશ્કેલીને લઈ ઝઘડીયા સબ ડિવિઝન દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઈજનેર શ્રી ને રજુઆત કરી.
Decision news ને મળતી માહિતી અનુસાર રજુઆત કરતા જણાવ્યું છે કે મહાલક્ષ્મી ટેકરા સાંઈ મંદિર ફળિયામાં પાછલા બે મહિનાના સમયગાળા દરમિયાન થી રાત્રીના સમય દરમિયાન વિજ પુરવઠો બંધ થઈ જાય છે અને ઘણી વખત તો દિવસ દરમ્યાન પણ વીજ પુરવઠો બંધ થઈ જાય છે.
જેના કારણે ઉનાળાની ગરમીમાં ફળિયામાં રહેતા રહિશોને ઉજાગરા કરવાનો વારો આવ્યો છે. જેથી મહાલક્ષ્મી ટેકરા સાંઈ મંદિર ફળિયામાં રહેતા રહિશો એ વીજ પુરવઠો બંધ નહીં થાય તે માટે અલગથી વીજ લાઈન કરી આપવામાં આવે તેવી માંગ કરી છે.

