ધરમપુર: ધરમપુરથી વાંસદા જતા રસ્તા પર આસુરા માન નદી પુલ ઉપર ચોમાસાની શરૂવાત થતાં જ ખાડા પડી જતાં  વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેને લઈને સ્થાનિક લોકોની સાથે સાથે અવરજવર કરતાં મુસાફરોમાં પણ આક્રોશ ફેલાયો છે.

Decision news ને મળતી માહિતી અનુસાર ધરમપુર- વાંસદા માર્ગ થઈ નવસારી, સુરત, વાંસદા, વ્યારા તથા વાપી, નાસિક, મહારાષ્ટ્ર તરફ ભારે તથા લાઈટ વ્હિકલની અવરજવર મોટા પ્રમાણમાં થાય છે. ઉપરાંત આસુરા તથા ધરમપુરનાં ઘણા ગામોનાં લોકો પણ અહીંથી અવજવર કરતા હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં પુલ ઉપર ખાડા પડી જતા હોય છે.

ગ્રાઉન્ડ સ્તરે તમે જોશો તો વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં અંદાજો નહીં આવવાની સ્થિતિમાં બાઇક તથા ફોર વ્હિલનાં વ્હિલ ધીમા થતા કતારો જામતી હોય છે. કાર, પિયાગો સહિતના વાહનોના નીચેના ભાગ ખાડામાં લાગી જવાની તથા અકસ્માત થવાની સંભાવના કાયમ રહે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here