ધરમપુર: ગતરોજ ધરમપુરના ભાવ ભાવેશ્વર ધામ, બરૂમાળ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ વર્ગ દ્વારા ત્રિદિવસીય અભ્યાસ વર્ગ- ૨ અને એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વલસાડ નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના આદિવાસી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના સર્વ મહાનુભાવો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ વર્ગના યુવાનો સાથે સ્નેહમિલનમાં સંવાદ કર્યો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ કહ્યું કે ‘યુવાનો ઉત્સાહ અને ઊર્જાનો પૂંજ છે’, જેનો અનુભવ આજના સંવાદથી થયો.
આ દરમિયાન ABVPના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી શ્રી દેવદત્તજી જોશી, રાષ્ટ્રીય કારોબારીના વિશેષ આમંત્રિત સદસ્ય ડૉ. છગનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મણભાઈ ભૂતડિયા, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા, લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, ધરમપુર શહેર ભાજપ પ્રમુખ શ્રી અમીતભાઈ ચોરેરા, સહિત પરિવાર ક્ષેત્રના કાર્યકર્તા બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

