ડેડીયાપાડા+સાગબારા: નર્મદા જિલ્લામાં આવેલ ડેડીયાપાડા, સાગબારા તાલુકા માં સરકારી બીજ વિતરણ કેન્દ્ર ની ખુબ જ જરૂરી છે કારણ કે ડેડીયાપાડા, સાગબારા, સેલબા, તાલુકામાં ગામે ગામ નકલી બિયારણ અને ડેડીયાપાડા, સાગબારા, સેલબાના બજારોમાં નકલી બિયારણ વેચાણ ખુલ્લેઆમ થાય છે.

આદિવાસી સમાજના યુથલીડર એડવોકેટ ડો. અશ્વિન વસાવા જણાવે છે કે ગયા વર્ષએ પણ બિયારણ લીધા હતા પણ ઉગ્યા નહિ ઉગ્યા તો પાક્યા નઈ એવી ખેડૂતોની વેદના છે. પણ સ્થાનિક તંત્ર અને બહારથી આદિવાસી વિસ્તારોમાં એગ્રોમાં બિયારણોનો ધંધો કરતાં વેપારીઓ ખાતર, બિયારણ દવા નકલી વેચાણ કરે છે. એના લીધે સ્થાનિક આદિવાસી સમાજનો વિકાસ થતો નથી.

આદિવાસી વિસ્તારોમાં ખેડૂતો લુટાઈ રહ્યા છે આટલી ગંભીર બાબત હોવા છતાં પણ સ્થાનિક નેતાઓ ચૂપ છે. કેમ કે મીલીભગત હોઈ શકે ? બિયારણ જ નકલી હોઈ પછી કેવી રીતે ઉત્પાદન કરી શકે અને નાના ખેડૂતો નફો તો ન જ કમાઈ પણ પાયમાલ થવાનો જ વારો આવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here