ઉમરગામ: ઉમરગામ તાલુકામાં ચોમાસુ શરૂ થતા વાવણી લાયક વરસાદથી ખેડૂતો ડાંગરનું બિયારણ ખરીદવા બિયારણ કેન્દ્રો પર પહોંચ્યા હતા. બિયારણ કેન્દ્રો પરથી ખેડૂતોએ જમીનને માફક 90 દિવસથી 140 દિવસનાં પાક માટેનું બિયારણ ખરીદવાનું શરૂ કર્યું હતું.ઉમરગામ તાલુકાના 52 ગામોના ખેડૂતો ચોમાસામાં ડાંગરની ખેતી કરે છે.
Decision news ને મળતી માહિતી અનુસાર ખેડૂતો વધુ પાક મેળવવા માટે બિયારણનું વાવેતર કરી રહ્યા છે. મે માસમાં કમોસમી વરસાદ બાદ જૂન માસમાં વાવણી લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતો સરીગામ, ભીલાડ, સંજાણ, ઉમરગામ વિસ્તારમાં આવેલા બિયારણ કેન્દ્રો પર પહોંચ્યા હતા.
તાલુકામાં અંદાજિત 25 હજારથી વધુ ખેડૂતો ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે. બિયારણ કેન્દ્ર પર 70થી વધુ જાતના ડાંગરનું બિયારણ એક કિલોથી 25 કિલો સુધીનાં પેકેટ અને પ્લાસ્ટિક બેગ ઉપલબ્ધ હતું.સાથે ખેડૂતો તુવેર, વાલ, ભીંડા, કાકડી, ચીભડાં જેવા બિયારણોની ખરીદી પણ કરી હતી.બિયારણની ખરીદી કરી ખેડૂતો વાવણીને લઈ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

