ધરમપુર: ચોમાસાની શરૂઆતી વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદ છવાયો અને પોતાની ધરતીમાં ડાંગરની વાવણી કરવા આદિવાસી ખેડૂતો હર્ષોઉલ્લાસ સાથે ધરમપુર બજારમાં જ્યારે બિયારણ લેવા ગયા ત્યારે ધરમપુર બજારમાં પ્રભુ ફળિયામાં આવેલાં ગોવિંદ એગ્રોમાં રીતસરની બિયારણ પર ખેડૂતોને લૂંટ ચાલતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકા બજારમાં મોટાભાગે ગામડાના આદિવાસી ખેડૂતો ચોમાસુ પડતા ખેતરમાં વાવણી કરવા માટે બિયારણ ખરીદવા માટે આવતા હોય છે ત્યારે ધરમપુરમાં ગોવિંદ એગ્રો સેન્ટરમાં આદિવાસી ખેડૂતો પર બિયારણનો કિલો પર 20 રૂપિયા ભાવ વધારો લઈ લૂંટ ચલાવી રહ્યાનું સામે આવ્યું છે. આ કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે એક જ પ્રકારનું બિયારણ બે એગ્રો પરથી ખેડૂત પાસે ખરીદવાનું આયોજન બનાવ્યું. બંને એગ્રો પરથી પાક્કા બિલ બનાવ્યા

જ્યારે ખેડૂતે ગોવિંદ એગ્રો પર 6444 બિયારણનો ભાવ પૂછ્યો તો 450 રૂપિયાનું કહેવામાં આવ્યું જ્યારે આ જ બિયારણના ભાવ ધરમપુર હાથીખાના પર આવેલ સ્વરાજ એગ્રો પર 6444 બિયારન્ના પૂછ્યા ત્યારે 430 રૂપિયા કહેવામાં આવ્યું. આમ એક બિયારણના ભાવ અલગ અલગ આવતા ખેડૂતો બંને જગ્યાએથી બિયારણ ખરીદી Decision News નો સંપર્ક કર્યો કે સાહેબ ધરમપુર એગ્રો આદિવાસી ખેડૂતોને ખુલ્લેઆમ આદિવાસી ખેડૂતોને બિયારણમાં ભાવ વધારો લઈ લૂંટી રહ્યું છે. 20 રૂપિયા પર કિલો ભાવ વધારો લે છે તો સામાન્ય રીતે એક ખેડૂત 8 થી 10 કે 15 કિલો લે તો વિચારો આ ગોવિંદ એગ્રો આખા દિવસ દરમિયાન આવતા ખેડૂતોને લૂંટીને કેટલો નફો કમાતો હશે. વધુ જ્યારે ખેડૂતે ત્યાં કામ કરતાં વ્યક્તિને પુછ્યું કે તમારે ત્યાં ભાવ વધારે કેમ છે તો તેનો જવાબ હતો શેઠ જેવુ કહે એવું અમારે તો ભાવ લેવો પડે.. બોલો

ધરમપુરમાં આવા બીજા પણ એગ્રો હશે જે આદિવાસી ખેડૂતોને ભાવ વધારો લઈ લૂંટી રહ્યા છે ત્યારે ગ્રાહક સુરક્ષા વિભાગ શું ઊંઘી રહ્યો છે કે પછી એગ્રો પરથી કમિશનની કટકી અમુક અધિકારીઓને મળી જતા આવા ભગવાન કૃષ્ણનું નામ બદનામ કરતાં ગોવિંદ એગ્રો જેવા એગ્રો ખુલ્લા સાંઢ બની આદિવાસી ખેડૂતોને લૂંટવાની મજા લઈ રહ્યા છે. આ ગોવિંદ એગ્રો ચલાવતા પર તપાસ થવી જોઈએ. ખેડૂતો છેતરાતા નહીં.. આ ગોવિંદ એગ્રો વાળાઓથી..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here