સેલવાસ: છેલ્લા ૨૫/૩૦ વર્ષથી જંગલની જમીન માટે સંધર્ષ કરતા વડીલ જેઓએ હજારો આદિવાસી સમાજ ને પોતાના અધિકાર માટે આદિવાસી સમાજ ને તૈયાર કરવા વાળા અને સતત સંધર્ષ કરવા વાળા અને દાદરા નગર હવેલી માં જંગલ જન જીવન આંદોલન નાં સંસ્થાપક અધ્યક્ષ શિક્ષિત નથી પરંતુ અનુભવ એટલો બધો કે રૈલી,આંદોલન,ધરના અને બેલગામ સરકારી બાબુઓ અને તંત્ર ઉપર દબાવ કેવી રીતે લવાય એ બધાજ દાવપેચ સારી રીતે જાણે છે.
વડીલ કહે છે કે જંગલ ની જમીન માટે રૂદાના ગામથી સંગઠન અને આંદોલનની શરૂઆત અમે લોકો 20 થી 25 વર્ષ ના હતાં ત્યાર થી સતત તંત્ર અને નેતાઓ સાથે સંધર્ષ કર્યો છે. અને આજે અંદાજીત ૭૦ વર્ષ નો થઈ ગયા છે તો પણ અધિકાર માટે ફોરેસ્ટ વિભાગ, પુલિશ અને તંત્ર સાથે પોતાના હક અધિકાર માટે સંધર્ષ કરી રહયાં છે, તંત્રને કહી દીધું છે કે મરી જઈશું પરંતુ અમારી જંગલ ની જમીન નહી છોડીશું.
તમે માનશો નહીં પણ વડીલમાં સંધર્ષ કરવાનો જોશ હજુ પણ એજ છે. હસતા-હસતા એઓ કહે છે કે આદિવાસી એકતા પરિષદ સેલવાસમાં શરૂઆત થઈ હુ પણ લગાતાર બેઠકમાં આવીને બેસવા લાગ્યો ત્યાર થી મને પણ ધણુ શીખવા મળ્યું અને તંત્ર સામે લડવા માટે હિમ્મત પણ મળી છે. પ્રભુ ટોકિયા જણાવે છે કે અમારા સાથી લક્ષીદાદા કુવરાજી સાથે યાત્રા દૌરાન વિશેષ ચર્ચા એમનાથી મને ખુબજ સિખવાનુ હિમ્મત અને પ્રેરણા મળે છે. જંગલ લ ની જમીનમાં આજે ખેતી કરીને ખાય છે એ કોઈ નેતા કે પ્રશાસનની મહેરબાની થી નથી પરંતુ આવા સંધર્ષસીલ વડીલ સાથીઓના કારણે છે.

