તાપી: ભારત આઝાદ થયા ને 78 વર્ષ ઉપરાંત થવા આવ્યા તેમ છતાં તાપી જિલ્લાના વ્યારા તાલુકા ના કોહલી ગામ ખાતે આજદિન સુધી લોકો પોતાના સ્વજનો દફનાવવા માટે હાલાકી ભોગવી રહ્યા છે. જેને પગલે સામાજિક આગેવાન એડ.જીમ્મી પટેલ તેમજ કોહલી ગામના આગેવાન વિપુલભાઈ ગામીતના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી તાપી અને મામલતદાર કચેરી એ કબ્રસ્તાન ફાળવી આપવા લોકટોળા સાથે માંગ કરાઈ.

તાપી જિલ્લાના વડા મથક વ્યારાથી આશરે 10 કિલોમીટર અંતરે આવેલ અને 1200 ની વસ્તી ધરાવતા ગામ કોહલીમાં આજદિન સુધી કબ્રસ્તાન માટેની જગ્યા ફાળવણી કરવામાં આવેલ નથી. જેને પગલે ગ્રામજનોના સગાવ્હાલાના મૃત્યુ સમયે દફન ક્રિયા માટે ખુબજ હાલાકી અને તકલીફ ભોગવવાનો વારો આવે છે. અત્યાર સુધી મૃત્યુ થાય તેવા પ્રસંગે પોતાની પારિવારિક જમીનમાં દફન ક્રિયા કરવામાં આવતી હતી પરંતુ તેમાં પણ હવે સમસ્યાઓ પેદા થવા લાગી છે.

દફન માટે આજુ બાજુના ખેતરોમાંથી ઊંડાણના વિસ્તારમાં જવાનું હોવાથી પાક નુકશાન અને ઝઘડાનું કારણ બનતું હતું. તેમજ ચોમાસા દરમિયાન એક બીજાના ખેતરોમાંથી પસાર થવું કપરું અને કઠિન હોઈ પોતાની જમીનો સુધી પહોંચી શકાતું નથી. જેને પગલે કોહલી ગામના વતનીઓ દ્વારા સામાજિક આગેવાન એડ. જીમ્મી પટેલનો સંપર્ક કરી. તેમની આગેવાનીમાં કબ્રસ્તાન ફાળવણી અંગે કલેકટર શ્રી તાપી અને મામલતદાર શ્રી વ્યારાને અરજી આપી ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં કબ્રસ્તાન માટેની જમીન સરકારી ધારાધોરણ મુજબ ફાળવણી આપે તેવી માંગ કરી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here