સુરત:અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે જેમાં કામરેજના ઊભેળના વતની વિભૂતિ અતુલકુમાર પટેલ પણ સવાર હોવાનું સામે આવ્યું છે. તેઓ રીંગસેરેમની માટે સુરત આવ્યા હતા અને બાદમાં પોતાના ફિયાન્સ સાથે યુકે જઈ રહ્યા હોવાનું સ્થાનિક આગોવાનોએ જણાવ્યું હતું.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારા ગામના વિભૂતિબેન અતુલભાઈ પટેલ જેઓ અમારા ગામના ભૂતપૂર્વ પંચાયતના સદસ્ય પણ રહી ચુક્યા છે અને ફીઝીયોથેરાપીસ્ટનો ઉચ્ચ અભ્યાસ પણ કરેલો છે અને હજુ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લંડન ખાતે છેલ્લા એક-દોઢ વર્ષથી ગયા હતા અને હાલ તેઓ રીંગ સેરેમની માટે માત્ર 10થી 15 દિવસ માટે ઇન્ડિયા આવ્યા હતા અને ગતરોજ તેઓ પોતાની આગળની સ્ટડી માટે લંડન જઈ રહ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, તેઓ આજે તેમના ફિયાન્સ સાથે યુકે જતા હતા અને આ પ્લેન દુર્ઘટનાના સમાચાર મળ્યા છે. આ સમાચાર અંતગર્ત અહીના સ્થાનિક પ્રસાશનને પણ જાણ કરી છે અને મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડને પણ જાણ કરી છે અને એમને ડીટેલ આપીને જેમ બને તેમ પ્રસાસન તરફથી પણ અમને જલ્દી માહિતી મળે એવી અમે એમની પાસે આશા રાખીએ છીએ.

