અમદાવાદ: આજે અમદાવાદમાં એક મોટી દૂર્ઘટના બનવા પામી છે. એરપોર્ટથી ટેક ઓફ દરમિયાન પ્લેન ક્રેશ થઇ ગયું છે. શરૂઆતની તપાસમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે તેનો પાછળનો હિસ્સો એટલે કે પ્લેનનો ટેલ અથડાવવાથી આ ઘટના બની છે.
મળતી માહિતી પ્રમાણે વિમાનના એન્જીનમાં અચાનક ખરાબી આવી ગઇ હતી. જેના કારણે આ દુર્ઘટના બની, પ્લેનમાં 238 લોકો હાજર હતા. એર ઈન્ડિયાનું આ પ્લેન અમદાવાદથી ટેક ઓફ કર્યા પછી લંડન જઈ રહ્યું હતું. દુર્ઘટના સ્થળ પર ધુમાડો જોઈ શકાય છે. ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહ મંત્રી અને અમદાવાદ પોલીસ કમિશનરે ફોન પર વાત કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી છે.
અમિત શાહે દરેક પ્રકારની મદદનો ભરોસો આપ્યો છે. ઘાયલ પેસેન્જર્સને અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી શરૂ કરાઈ છે. હાલમાં ચારે બાજુ તરફ અફરા તફરીનો માહોલ છે. મૃત્યુયાંક હજુ સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યો નથી.

