સુરત: આજરોજ સુરતમાં 23 વર્ષીય મોડેલ અંજલી વરમોરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભાવુક રીલ પોસ્ટ કરી લખ્યું હતું કે “આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે”. બાદમાં ઘરમાં ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હતી.
અંજલીએ અન્ય એક રીલમાં લખ્યું હતું કે બધું ખોવાઈ જાય તો વાંધો નથી, પરંતુ પ્રેમ ખોવાઈ જાય તો દુઃખ થાય છે,” તે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નિયમિતપણે રીલ્સ શેર કરતી હતી, અને યુટ્યુબ ચેનલ પર બ્લોગ્સ પણ પોસ્ટ કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં તેના 37000 ફોલોઅર્સ છે.
પોલીસનું માનવું છે કે અંજલી માનસિક તણાવથી પિડાતી હશે. જોકે અત્યાર સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પોલીસ આ કેસની તપાસ કરી રહ્યા છે અને તેના પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરી રહ્યા છે. તેના મોબાઇલ ફોનની પણ તપાસ ચાલી રહી છે.

