ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં જે પ્રકારે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા ખાર કૂવાનું પાણી નાખી જે ગ્રામજનોના આરોગ્ય સાથે ખિલવાડ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં ધરમપુર નગરપાલિકાની ટેન્કર જોવા મળ્યું હતું જેને લઈને લોકો રાજચંદ્ર ટ્રસ્ટના કર્મચારીના કાળા કામોમાં સાથ આપી રહ્યા હોવાની લોક્ચર્ચા ઉઠી રહી છે.
Decision News સાથે વાત કરતાં કરંજવેરીના ગામના લોકો કહે છે કે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ જે ગંદા પાણીથી અમારા ગામમાં ગંદકી ફેલાવી રહ્યા છે તેમાં ધરમપુર નગરપાલિકા પણ સાથ આપી રહ્યું છે. નગરપાલિકા શહેરમાં કચરો એકઠો કરી તેને ડંપિંગ સાઇટ પર નાખી શહેરમાં સ્વચ્છતા જાળવવાનો લોકોને સંદેશ આપે છે અને બીજી બાજુથી રાજચંદ્રના કર્મચારીઓની સાથે મળી ગામડાઓને ગંદા કરતાં ફરે છે.
નગરપાલિકાના આવી કામગીરીને લઈને અધિકારીઓ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. રાજચંદ્રની કાળી કરતૂતમાં ધરમપુર નગરપાલિકા કેમ સાથ આપી રહ્યું છે. શું એમાંના અમુક અધિકારીઓને રાજચંદ્ર ફંડિંગ તો નથી આપી રહ્યું ને આવા કામો કરવા માટે.. લોકો અનેક તર્કવિતર્ક કરી રહ્યા છે.

