રાજપીપળા: નાંદોદ તાલુકાના કરજણ ડેમ પર લાંબા સમયથી ચેતવણી ના બોર્ડ લગાડયા છે. અને સમયાંતરે ડેમમાં ઓછું વત્તુ પાણી પણ છોડવામાં આવે છે. ડેમના પાવર હાઉસના પાણી પણ કેનાલમાંના છોડતા નદીમાં પાણીનું વહેલ ઓચિંતું વધી જાય છે.પરંતુ પ્રવાસીઓને આની ખબર હોતી નથી જે ક્યારેક જાન લેવા સાબિત થાય છે.

કરજણ ડેમ તંત્ર દ્વારા એક ઘટના બાદ પાણીમાં કોઈએ જવું નહીં સહિતના ચેતવણીના બોર્ડ લગાવ્યા છતાં શનિવાર અને રવિવારની રજામાં લોકોની સંખ્યા વધી જાય છે અને ડેમની આસપાસ લોકો ફરતા જોવા મળી રહ્યા છે તો તંત્ર દ્વારા લગાવવામાં આવેલા બોર્ડનું જાણે ઉલ્લંઘન થતું હોય તેમ જણાય છે. તો શું અહીંયા રજાના દિવસોમાં કોઈ બંદોબસ્ત ગોઠવવામાં આવે અથવા તંત્ર દ્વારા સુરક્ષિત પ્રવાસન સ્થળ બનાવામાં આવે એ જરૂરી બન્યું છે. શનિવાર-રવિવારની રજાઓમાં પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. ચેતવણી બોર્ડની અવગણના કરીને લોકો ડેમની આસપાસ ફરતા જોવા મળે છે.

Decision news ને મળેલી માહિતી મુજબ કરજણ ડેમના આગળના ભાગમાં સાઈન બોર્ડ માર્યા કરજણ ડેમના આગળના ભાગમાં જ્યાં લોકો હરવા ફરવા આવે છે ત્યાં અમે સાઈન બોર્ડ માર્યા છે. આ સાથે અમારી અલગ સિકયુરિટી મૂકેલી છે. પરંતુ ક્યારેક અમારા સિકયુરિટી આમ તેમ હોય તો લોકો ઘુસી જતા હોય અને હવે ચોમાસુ આવનાર છે તેવા સંજોગોમા ડેમ કે તેની આસપાસ લોકો ફરે એ જોખમી છે માટે આ બાબતે હું અમારા સિકયુરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક સાથે વાત કરી ત્યાં કડક બંદોબસ્ત મૂકવા તજવીજ હાથ ધરીશ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here