ભરૂચ: ભરૂચ જીલ્લાના ટુર ટ્રાવેલ્સ ઉનાળુ વેકેશન દરમિયાન લાંબા પ્રવાસનું આયોજન કરતું હોય છે. જેમાં ખાસ કરીને કેદારનાથ બદ્રીનાથ સહિતના વિસ્તારમાં પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે યુદ્ધની પરિસ્થિતિ અને કોરોના કેસ તેમજ બદ્રીનાથનું રજીસ્ટ્રેષ્ણ બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે ભરૂચ જિલ્લા માંથી ફક્ત બે બસો પ્રવશે ગઈ હતી. આમ આ વર્ષે ફક્ત 5 ટકા ટુર કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ટુર ટ્રાવેલ્સને મોટા ટુરમાં 90 ટકાથી વધુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સાથે ટુર ટ્રાવેલ્સ એસોસિએશનના માજી પ્રમુખ જીગ્નેશ બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આવશે 5 ટકા જેટલું પણ બુકિંગ થયુ નથી. ફક્ત બે ટ્રાવેલ્સ ટુર માં ગઈ હતી. જેમાંથી અંદાજે 16 લાખ આવક થઈ હતી.
જ્યારે ગત વર્ષે 30 ટ્રાવેલ્સ ઉપડી હતી જેમાં 1500 જેટલા યાત્રિકો કેદારનાથ બદ્રીનાથ ચારધામની યાત્રા માં ગયા હતા. જેમાં વ્યક્તિ દીઠ ટિકિટ રૂપિયા 32 હજાર લેખે ગણીએ તો 4.80 કરોડ કમાણી કરી હતી. પરંતુ આ વર્ષે યુદ્ધ અને બદ્રીનાથ માટે ચીન બોડર પર રજીસ્ટ્રેષ્ણ બંધ કરવામાં આવતા લોકોએ બુકિંગ કરાવ્યુ નથી. જેના કારણે આ વર્ષે ટુર ટ્રાવેલ્સને નુકશાન ગયું છે. હવે ચોમાસુ આવી ગયું છે. જેથી મોટી ટુરો પણ થશે નહીં હવે દિવાળીની રાહ જોઈને બેઠા છે.

