ભરૂચ: ભરૂચ જિલ્લા જાગૃત નાગરિકો દ્વારા 3-6-2025 ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર આઈપીએલ ફાઈનલ મેચ દરમિયાન સાંજે 7:30 થી 11:30 વાગ્યા સુધી તમામ ટેલીકોમ ઓપરેટર કંપનીના મોબાઇલ ટાવર હંગામી ધોરણે ડી-એક્ટીવ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે એવી લેખિત રજૂઆત કરી છે અને ભારતીય નાગરિકતા સુરક્ષા સહિતા. કલમ-164 નો હવાલો આપતા પત્રમાં જણાવ્યું છે કે આઈપીએલ ફાઈનલ ક્રિકેટ મેચ મોબાઈલ ફોન ઉપર ક્રિકેટ મેચ બહોળા પ્રમાણમાં જોવાને કારણે આર.એફ.પલ્સ ઉંચા પ્રમાણમાં ડેટા ટ્રાન્સમિશન ટ્રાફિક થવાને કારણે ઉંચા પ્રમાણમાં ઈલોક્ટરો મેગ્નેટિક ફિલ્ડ રચાય છે.

Decision news ને મળેલી માહિતી મુજબ ઈલોક્ટરો મેગ્નેટિક ફિલ્ડના પરિણામે રેડીએસનનું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી જાય છે અને વિવિધ ટેલીકોમ ઓપરેટર કંપનીના ટાવર ઉપર ડેટા ટ્રાન્સમિશન થવાને કારણે ઉંચા પ્રમાણમાં ભયજનક રીતે રેડીએસન પ્રમાણ વધી જાય છે. જેના કારણે નાગરિકોને માથું દુખવું, ચક્કર આવવા તેમજ અત્યંત રેડીએસનની ગરમીના કારણે ગભરામણ જેવી ઘટનાઓ બનવા પામેલ હતી. ઉંચા પ્રમાણમાં રેડીએસન વધવાનાં પ્રમાણના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય જોખમાય છે અને ગંભીર રીતે ચેતાતંત્રને અસર થઈ હાની પહોંચાડે છે. છેલ્લા ઘણા સમયથી બ્રેઈન સ્ટ્રોક, પેરાલિસિસ તથા બેભાન થઈ જવા જેવી ઘટનાઓ બની રહેલ છે.

વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં જ અચાનક બ્રેઈન સ્ટ્રોક આવવાને કારણે અનેક યુવાનોનાં મૃત્યુની ઘટનાઓ બનવા પામી છે. જેથી આઈપીએલ ફાઈનલ ક્રિકેટ મેચ દરમિયાન રેડીએસનના કારણે કોઈ આકસ્મિક ઘટના ન બને કે નાગરિકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે ન્યાયના વિશાળ હિતમાં તા. 3-6-2025 ના રોજ સાંજે 7:30 થી રાત્રે 11:30 સુધી આઈપીએલ ફાઈનલ ક્રિકેટ મેચ દરમિયાન હંગામી ધોરણે મોબાઇલ ટાવર ડી-એક્ટિવ કરવા ભારતીય નાગરિકતા સુરક્ષા સહિતા. કલમ-164 જાહેરનામું બહાર પાડવા રજૂઆત કરવામાં આવી છે.

હવે જોવુ એ રહ્યું કે જીલ્લા કલેકટર ભરૂચ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે કોઈ નક્કર પગલાં લેશે કે કેમ? જોવું એ રહ્યું