વ્યારા: કરોડો રૂપિયાના મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કરનાર બચુભાઈ ખાબડના પુત્રોને લઈને સમગ્ર ગુજરાતમાં ચર્ચા વંટોળ ઊઠયો છે ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી વ્યારા દ્વારા બચુ ખાબડને સત્તાની ખુરશી પરથી હટાવી દેવામાં આવે એવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે
ભાજપનો ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાતના પંચાયતી મંત્રી બચુ ખાબડના દિકરાઓએ તેનાજ વિભાગમાં કરોડોના કૌભાંડ આચર્યા બાદ આજે જેલમાં છે છતાં બચુ ખાબડને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યો નથી. શું બચુ ખાબડને ભાજપમાંથી કાઢી મૂકવામાં નહીં આવે. શું ભાજપ આ મંત્રીને સંગ્રહ કરી રહ્યું છે?
બચુ ખાબડ જ્યાં સુધી મંત્રી પદ પર હોઈ તેમના દિકરાઓ વિરુદ્ધ ઇનામદારીથી તપાસ થવી શક્ય નથી. જેને લઇને આમ આદમી પાર્ટી બચુ ખાબડને પદભ્રષ્ટ કરો અને બચુ ખાબડ વિરુદ્ધ તપાસ કરોની માંગ સાથે આમ આદમી પાર્ટી તાપી દ્વારા જીલ્લામાં કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવા આવ્યું તથા પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરી નિષ્પક્ષ તપાસની માંગ કરાઇ.

