વલસાડ: આજરોજ વલસાડ તાલુકાનાં કચીગામમાં સરકારી જમીંનમાથી વહીવટી તંત્ર દ્વારા ફક્ત આદિવાસી પરિવારને હટાવવાની નોટિસ પાઠવવામા આવતાં સરકારની ન્યાયસંગતતા પર પ્રશ્નાર્થ ઊભા થયા છે અને ઘટના સ્થળ પર પોલીસ અને પરિવારના સભ્યો જોડે ઘર્ષણ થયાના દ્રશ્યો સામે આવ્યા હતા.

ધરમપુરના તા.પં. સ. કલ્પેશ પટેલ જણાવે છે કે વલસાડ તાલુકાના કચીગામ ખાતે સરકારી જમીન પર વર્ષોથી વસવાટ કરતા કેટલાક પરિવારોએ પોતાની જીવનગાઠ અહીં જ બનાવી છે. આ પરિવારોમાં આદિવાસી સમાજના લોકો પણ સામેલ છે. તાજેતરમાં સ્થાનિક પ્રશાસન દ્વારા એક આદિવાસી પરિવારને સરકારી જમીન પરથી હટાવવાની નોટિસ આપવામાં આવી છે, જ્યારે આસપાસના અન્ય સમુદાયના લોકો પણ એ જ સરકારી જમીન પર વસવાટ કરે છે – તેમ છતાં તેમને કોઈ નોટિસ આપવામાં આવી નથી.

પ્રશ્ન એ ઉઠે છે કે આદિવાસી પરિવારોને જ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કેમ થાય છે? શું નિયમો બધાને માટે સમાન નથી હોવા જોઈએ ? જ્યારે સરકારી જમીન પર ઘણા અન્ય સમુદાયો પણ રહે છે, ત્યારે માત્ર આદિવાસી પરિવારને હટાવવાનો આદેશ આપવો શું અન્યાયપૂર્ણ નથી ? આ ખોટું છે.