ભરૂચ: ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ત્રણ દિવસ સુધી થયેલા માવઠા અને મીની વાવાઝોડાએ ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચાડયું છે. જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગે કરેલા સર્વે મુજબ, કુલ 28,820 હેક્ટર ઉનાળુ વાવેતરમાંથી 1750 હેક્ટરમાં પાક નુકસાન થયું છે.

ખેતીવાડી વિભાગની 55 ટીમએ અંકલેશ્વર-ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં છ-સાત દિવસ સુધી સર્વે કર્યો હતો. સર્વે દરમિયાન જાણવા મળ્યું કે, આંબા અને કેળના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. કુલ વાવેતર વિસ્તારના 33 ટકા વિસ્તારમાં પાકને નુકસાન થયું છે.

Decision news ને મળેલી માહિતી મુજબ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપસિંહ વાળાએ જણાવ્યું કે, સર્વે રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકાર નુકસાન પામેલા ખેડૂતો માટે સહાયની જાહેરાત કરશે.