નવસારી: કરાંખટ બાદ સતત બીજા દિવસે જલાલપોર તાલુકાના કરાડી ગામે વધુ 3 હેકટરમાં ગેરકાયદે ઝીંગાના તળાવ મામલતદારે દૂર કર્યા હતા.

Decision News ને મળેલી માહિતી અનુસાર જલાલપોર તાલુકાના કરોખટ ગામે ગેરકાયદે ઝીંગાના તળાવોની જાણકારી મળતા મામલતદાર મૃણાલદાન ઇસરાનીએ 9 હેકટરમાં આવેલ 3 મોટા તળાવ દૂર કરાવ્યા હતા. આ દરમિયાન મામલતદારે સતત બીજા દિવસે મંગળવારે તાલુકામાં વધુ એક જગ્યાએ ગેરકાયદે તળાવ ઉપર જેસીબી ફેરવ્યું હતું.

કરાડીમાં 3 હેકટરમાં આવેલ 3 તળાવો દૂર કર્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ કરાડીમાં 4 હેકટરમાં આવેલ તળાવ પણ દૂર કર્યા હતા. આમ તાલુકામાં માત્ર 4 દિવસમાં 16 હેકટરના ગેરકાયદે ઝીંગાના તળાવ દૂર કરાયા છે.