દિલ્હી: વર્તમાન સમયમાં ટોલ ટેકસને લઈને સરકાર નવી નીતિ લાગુ કરવા જઈ રહી છે જેમાં અંતર (કિલોમીટર)ના આધારે ટોલ ભરવો પડશે. માર્ગ અને પરિવહન મંત્રાલય દૂરીના આધારે ટોલ વસુલીની વ્યવસ્થા લાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.

આ સ્થિતિમાં જીપીએસ મેપીંગના આધારે ટોલ નકકી કરવામાં આવશે. આ વ્યવસ્થા એ લોકો માટે ફાયદાકારક હશે જે ઓછા અંતરની યાત્રા કરે છે. પરંતુ વચ્ચમાં ટોલ પડવાના કારણે તેમને 150થી 200 રૂપિયાનો ટોલ ભરવો પડે છે. જ્યારે નવી વ્યવસ્થામાં બે થી પોણા ત્રણ રૂપિયા દર કિલોમીટરના હિસાબે ટોલ આપવો પડશે એટલે કે 40 કિલોમીટરની સફરમાં 150 થી 200ની જગ્યાએ 110 થી 120 રૂપિયા ટેક્ષ આપવો પડશે.

હવે ટોલ બેરિયર હટાવવા જવાની સ્થિતિમાં એ પડકાર હશે કે બધા વાહનો પાસેથી ટોલ કેવી રીતે વસુલવામાં આવે? કારણ કે ટોલ બેરિયર ન હોવા પર કોઈ રૂકાવટ નહીં રહે. આ નિર્ણયને લઈને તમે શું માનો છો શું મુસાફરોના હિતમાં ચ્હે આ નિર્ણય..