નર્મદા: પોષણ અભિયાન અંતર્ગત પ્રતિ વર્ષ એપ્રિલ મહિનામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આ વર્ષે 8 થી 22 એપ્રિલ 25 દરમિયાન આઈ.સી.ડી.એસના સંકલનમાં રહીને વિવિધ વિભાગો દ્વારા પોષણ પખવાડિયાને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છતાં નર્મદા જિલ્લામાં કુપોષણ નો આંકડો ઘટતો જાય છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આજે પણ 2,333 જેટલા બાળકો કુપોષણ થી પીડાય છે. તો આ બાળકોને કુપોષણમાંથી સુપોષિત કરવા શું કરવું જોઈએ એવા પ્લાનિંગ સાથે તંત્ર કામ કરે છે ખરું જેમાં માતા પિતાનો પણ એટલી જ જવાબદારી છે.પોષણ પખવાડાની ઉજવણીના ભાગરૂપે સાગબારા તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં એનિમિયા અંગેની જાગૃતિ રેલી યોજાઈ હતી.
જેમાં આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કર અને આંગણવાડીના બાળકોએ ગામમાં ફરીને એનિમિયા અંગે વાલીઓને જાગૃત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. તેવીજ રીતે દેડિયાપાડા તાલુકામાં વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેના થકી ઘરમાં ઉપલબ્ધ ધાન્ય તેમજ આંગણવાડીમાંથી આપવામાં આવતા પોષક ધાન્યોમાંથી બનતી વિવિધ વાનગીઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

