ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામે તા. 15/04/2025ના રોજ રાત્રે9:00થી તા. 16/04/2025ના સવારે 6:00 વાગ્યાની વચ્ચે રમીલાબેન મોતીસીંગભાઇ જેઠીયાભાઇ વસાવા (ઉ.વ. 48)ની અજાણ્યા શખ્સ દ્વારા ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુના નં. 11823004250415/2025, બી.એન.એસ. કલમ-103(1) મુજબ ગુનો નોંધાયો હતો, જે અનડિટેક્ટ રહેલો હતો. નર્મદા પોલીસે આ ગંભીર ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને પકડી પાડયો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંઘ તથા નર્મદાના પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી લોકેશ યાદવ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.જે.પંડયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર.રાઠોડની ટીમે આ ગુનાને ડિટેક્ટ કરવા સઘન તપાસ હાથ ધરી.
મોબાઇલ લોકેશન, શંકાસ્પદ વ્યક્તિઓની યાદી, હ્યુમન સોર્સિસ અને એફ.એસ.એલ. તેમજ ડોગ સ્ક્વોડની મદદથી પોલીસે આરોપી મહેશભાઇ રૂમાભાઇ વસાવા (રહે. પીપલોદ, એકાણુ ફળીયું)ની ઓળખ કરી. આરોપીએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ્યો અને રમીલાબેનનું ગળું દબાવી હત્યા કરી હોવાનું જણાવ્યું.પોલીસે આરોપીને અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા પોલીસની આ ઝડપી અને પરિણામલક્ષી કામગીરીની સ્થાનિક લોકોમાં પ્રશંસા થઈ રહી છે.

