ગાંધીનગર: ગતરોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય આયોજિત આદિવાસી કર્મચારી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ગુજરાતના માનનીય શિક્ષણ મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડીડોરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મહામાનવ બિસામુંડા ભગવાન અને ભીમરાવ આંબેડકર અને આદિવાસીની મૂળ ધરોહર સમાન પ્રકૃતિ પૂજા કરવામાં આવી. ત્યારબાદ સમગ્ર ગુજરાત આદિવાસી એકતા પરિષદનાં પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ગરાસિયા એ આ કાર્યક્રમ કરવાનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો જેમાં સમગ્ર ગુજરાતના કર્મચારીને લગતા પ્રશ્નો આદિવાસી સમાજ સંસ્કૃતિને લાગતા પ્રશ્નો સમાજના વહીવટી પ્રશ્નો,આર્થિક રોજગારીનાં પ્રશ્નો તેમજ જેતે વિસ્તારમાંથી આવેલા પ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં પડતી મુશ્કેલી અંગેના પ્રશ્નો રજૂ કરવા જણાવ્યું હતું.જે અનુસંધાનમાં દરેક વિસ્તારમાંથી આવેલા પ્રતિનિધિઓએ પોતપોતાના આદિવાસી સમાજના શૈક્ષણિક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા આપણી ભાવિ પેઢીને ભણવામાં પડતી મુશ્કેલી અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને આર્થિક સહાય ફ્રીસિફ કાર્ડ તેમજ ભણવા માટે રહેવા માટેની હોસ્ટેલની સુવિધાથી લઈને દરેક ડિપાર્ટમેન્ટનાં પ્રશ્નોની રજૂઆત માન્ય શિક્ષણ મંત્રી સમક્ષ રજુ કરવામાં આવી.શિક્ષણમાં તેમજ અન્ય દરેક ડિપાર્ટમેન્ટ આદિવાસીની વસ્તીના ધોરણે નોકરીમાં રોજગારીની ભાગીદારી મળે તે માટે સમાજના આગેવાન તેમજ અધિકારી પણ માહિતગાર બને તેવી રજૂઆત કરવામાં આવી.ટૂંકમાં દરેક ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે નાણાંકીય સહાય યોજના તેમજ વધુમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા શું કરી શકાય તેમજ કર્મચારીના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી. ત્યારબાદ માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેર દીંડોરસાહેબે સૌ પ્રશ્નોના રજૂઆતનાં જવાબો આપ્યા હતા અને જયાં જયાં ખૂટતી કડીઓ છે ત્યાં ત્યાં ખૂબજ સકારાત્મક રીતે કામ કરવામાં આવશે તેમજ સમાજે પણ આવનારી પેઢી માટે સજાગ બની કામ કરવું પડશે સરકારશ્રી તો આદિવાસી સમાજ કલ્યાણ માટે કટિબદ્ધ છેજ પરંતુ અમુક બાબતોમાં આદિવાસી સમાજે પણ હવે જાગૃત બની વર્તમાન સમયમાં મુખ્ય પ્રવાહમાં જોડાવા આગળ આવવું પડશે અને સમય સાથે તાલ મિલાવવા અપડેટ થવું પડશે તેમ જણાવ્યું હતું.
અંતમાં ખૂબજ સકારાત્મક રીતે આ આદિવાસી કર્મચારી સ્નેહ સંમેલનને પૂર્ણતયા રીતે સમાપન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું સંચાલન તાપી જિલ્લાના મોડેલ સ્કૂલનાં પ્રિન્સિપાલ આશાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યુ હતું. આ આદિવાસી કર્મચારી સ્નેહ સંમેલન નાં કાર્યક્રમમાં ભાગીદાર બનવા માટે વલસાડ જિલ્લાના આગેવાન મિત્રો અશોકભાઈ પટેલ,સંજયભાઈ પટેલ, હરેશભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, દિનેશભાઈ ખાંડવી, જયેશભાઇ ગાંવિત, પ્રકૃતી ચેરિટેબલ ટ્રસ્ટ મુરદડ નિલેશભાઈ નિકુળીયા,હીનાબેન નિકુળીયા, અજયભાઈ પટેલ, અનિલભાઈ, મહેન્દ્રભાઈ પટેલ,અવિનાશભાઈ પટેલ, કનૈયા લાલ પટેલ, વિમલભાઈ,અવિનાશભાઈ પત્રકાર ડીસિજન ન્યુઝ ચેનલ, નીલમભાઈ પટેલ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા. જેવા સમાજ સેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા હાજરી આપી હતી.

