અમદાવાદ: ગતરોજ અમદાવાદના શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલમાં આદિવાસી મેડિકો-પેરામેડિકો તબિબોનો 20 મો સ્નેહમિલન સાયનેપ્સ-25 યોજાયો જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી તબિબો અને વિદ્યાર્થીઓ ઉમટ્યા હતાં. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી અને તબિબો મંત્રમુગ્ધ થયા હતાં.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,ડો.નિરવ ભુલાભાઇ પટેલ,આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય સંયોજક ડો.શાંતિકર વસાવા, સિકલસેલ એનેમિયાના એક્સપર્ટ ડો.જ્યોતિષ પટેલ, ડો.ડેક્ષટર પટેલ, ઇડર આઇએમએ પ્રમુખ ડો.રાજેશ ડામોર, ડો.એ.જી.પટેલ, ડો.ચિરાગ ડામોર, આઈપીએસ આર.વી.અસારી,અમદાવાદ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર રમેશચંદ્ર પારગી, હાઇકોર્ટ વકીલ નિરવ પારગી, ડો.હિતેષ રાઠોડ, ભૂતપૂર્વ આઈએએસ સીએમ બલાત, ડો.અજય રાઠોડ, ડો.કર્ણિક ડામોર, ડો.જીજ્ઞેશ ભાભોર, ડો.જયંતીભાઈ વસાવા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રથી ડો.રાજેશ વલવી અને મધ્યપ્રદેશથી ડો.કરુણા મેળાવી અને તેમની ટીમે મહેમાન તરીકે ઉપસ્થિત રહી ગુજરાતી તબીબોમાં આંતરરાજય મજબૂત સંગઠનની આશા ઉભી કરી હતી.કાર્યક્રમના સફળ સંચાલન માટે પ્રમુખ ડો.વિનોદ સંગાડા, ડો.રાજેશ જોશીયારા,ડો.મનીષ નિનામા, ડો.અભિષેક ભગોરા, ડો.શિવાની ચૌધરી,ડો.કલ્પેશ બારીયા,ડો. ભરત પટેલીયા,ડો.નિર્મિષ અસારી,ડો.જીજ્ઞેશ વસાવા,ડો.અનિલ બારીયા,ડો.શીતલ હઠીલા,ડો.હેમાંગીની બલાત,ડો.જલ્પા બલાત,ડો.વૈભવ હઠીલા,સંતોષ માવી,ચીમનભાઈ માલ સહિત યુવા આદિવાસી તબિબોએ રાતદિવસ એક કરીને ખુબ જ મહેનત કરીને 1000 થી વધુ ઉપસ્થિત લોકોની હાજરીમાં કાર્યક્રમને જોરદાર સફળ બનાવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે આજથી 20 વર્ષ પહેલા જયારે ઘણા આદિવાસી યુવા તબિબો પોતાને જાહેરમાં આદિવાસી તરીકે ઓળખાવતા શરમાતા હતાં ત્યારે સાયનેપ્સના પાયાના પથ્થર એવા હાલના આયોજકો જેમાંથી સ્વ. ડો.કિશોર ડામોર,ડો.આશિષ ગામિત,ડો.હેમંત પટેલ સહિત કેટલાંક ઉપસ્થિત રહી શક્યા ન હતાં તેઓએ આખા ગુજરાત રાજયના આદિવાસી મેડિકો-પેરામેડિકો તબિબો એકબીજાને ઓળખે અને સંગઠન મજબૂત થાય એ હેતુથી અમદાવાદ ડેન્ટલ કોલેજની પાછળ આવેલા ગાર્ડનમાં સાયનેપ્સ નું આયોજન કરેલ જે આજે 20 વર્ષ પૂર્ણ કરી રહેલ છે.અને આજે આટલુ આગળ વધ્યું છે તે જોઈને ખુબ જ આનંદ થાય છે.આશા રાખું છું કે મજબૂત અને પ્રામાણિક આયોજકોની છત્રછાયા આ કાર્યક્રમ ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરે.