નવસારી: નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા 10 વર્ષીય બાળકને એપેન્ડિક્સની ગંભીર બીમારી થઈ હતી. બાળકના પિતા અકસ્માતમાં બંને પગ ગુમાવી ચૂક્યા છે અને માંડ બે ટંકનું ભોજન રળી શકે છે.
આ પરિસ્થિતિમાં નવસારી સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ રિતેશ શામવાનીએ બાળકને પોતાના ખર્ચે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.ત્યાં RMO ડૉ. લાલા ચૌધરીએ માનવતા દાખવી માત્ર એક કલાકમાં બાળકનું આયુષ્માન કાર્ડ બનાવી આપ્યું ગતું.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ડૉ. ચૌધરીએ બાળકનું નિ:શુલ્ક ઓપરેશન કરાવી આપવામાં મદદ કરી હતી. આ સફળ ઓપરેશન બાદ બાળક મોતના મુખમાંથી બહાર આવ્યો હતો. આમ, નવસારી શહેરના સેવાભાવી યુવાનોએ સમયસૂચકતા દાખવી એક નિર્દોષ બાળકનો જીવ બચાવી માનવતાની મિસાલ કાયમ કરી છે.

