ભરૂચ: ભરૂચ જિલ્લાના મહેસુલી કર્મચારીઓ એ તેઓની વિવિધ માગણીઓ ને લઈ ને કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેર બદલીની કેટલી રજૂઆત વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવા, તેમજ હવે પછી રજૂ થતી જિલ્લા ફેર બદલી ની નવી અરજીઓ માટે ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે પારદર્શક પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર કલેક્ટર કક્ષાના, જિલ્લા કક્ષાના એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી જિલ્લા બદલી ની અરજી જે તે વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મુકવામાં આવે તેમ આવેદનમાં જણાવ્યુ છે. સાથે કારકુન થી નાયબ મામલતદારના પ્રમોશન ની કાર્યવાહી હાલ ચાલુમાં છે. જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ પર પ્રમોશન આપવામાં આવે અને વર્ષ 2015 માં નિમણૂક પામેલ તમામ કારકુનોને એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવામા આવે
સાથે જ હાલમાં તથા અગાઉ જે નાયબ મામલતદારો ની માંગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે, તે તમામ હુકમરદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ના કરવા મુદ્દે ઉપસ્થિત કરાયો છે. જેના કારણે તમામ મહેસુલી કર્મચારીઓમાં નારાજગીના પગલે 10 દિવસમાં હકારાત્મક નિકાલ કરવા નહીં આવે તો મહેસુલી કર્મચારીઓ મહામંડળના આદેશ મુજબ કાળી પટ્ટી ધારણ કરી માસ સીએલ અને હડતાલ કરવાની ચીમકી આપી હતી.

